
બદનક્ષી માટે ફોજદારી કાર્યવાહી
(૧) ગુનાનો ભોગ બનેલ કોઇ વ્યકિતએ કરેલી ફરિયાદ ઉપરથી હોય તે સિવાય ભારતના ફોજદારી
અધિનિયમ ના પ્રકરણ ૨૧ હેઠળ શિક્ષાપાત્ર ગુનાની કોઇ કોટૅ વિચારણા કરી શકશે નહીં પરંતુ તે વ્યકિતની ઉંમર અઢાર વષૅથી ઓછી હોય અથવા તે મંદબુધ્ધિવાળી કે પાગલ હોય અથવા માંદગી કે અશકિતના કારણે ફરિયાદ કરી શકે તેમ ન હોય અથવા તે એવી સ્ત્રી હોય કે જેને સ્થાનિક રીતે રિવાજ અનુસાર જાહેરમાં હાજર થવાની ફરજ પાડવી ન જોઇએ તો કોર્ટની પરવાનગીથી અન્ય કોઇ વ્યકિત તેના વતી ફરિયાદ કરી શકશે
(૨) આ અધિનિયમમાં ગમે તે મજકૂર હોય તે છતા ભારતના ફોજદારી અધિનિયમ ના પ્રકરણ ૨૧ હેઠળ આવતો કોઇ ગુનો ગુનો થતી વખતે ભારતના રાષ્ટ્રપતિ ભારતના ઉપરાષ્ટ્રપતિ કોઇ રાજયના રાજયપાલ સંઘ પ્રદેશના વહીવટકર્તા અથવા સંઘના કે રાજયના કે સંઘ પ્રદેશના મંત્રી અથવા સંઘ કે રાજયના કામકાજ સબંધમાં નોકરી કરતો બીજો કોઇ રાજય સેવક હોય તે વ્યકિત સામે તેના જાહેર કાર્યો બજાવતી વખતના તેના વતૅન અંગે કમૅ નુ કહેવાતુ હોય ત્યારે સેશન્સ કોર્ટે તે કેસ પોતાને મોકલાયા વિના પબ્લિક પ્રોસિકયુટરે કરેલી લેખિત ફરિયાદ ઉપરથી એવા ગુનાની વિચારણા કરી શકશે
(૩) પેટા કલમ (૨)માં ઉલ્લેખાયેલી દરેક ફરિયાદમાં જેનાથી કહેવાતો ગુનો બનતો હોય તે હકીકતો ગુનાનો પ્રકાર આરોપીએ કર્યો હોવાનુ કહેવાતા ગુનાની તેને જાણ કરવા વાજબી રીતે પુરતી હોય તેવી બીજી વિગતો જણાવવી જોઇશે (૪) નીચે જણાવ્યા પ્રમાણેની પુવૅ મંજુર મેળવ્યા સિવાય પબ્લિક પ્રોસીકયુટર પેટા કલમ (૨) હેઠળ ફરિયાદ
કરી શકશે નહીં (ક) કોઇ રાજયના રાજયપાલના અથવા તે સરકારના મંત્રી હોય તે વ્યકિતની બાબતમાં રાજય સરકારની પુર્વ મંજૂરી
(ખ) રાજય કામકાજમાં સબંધમાં નોકરી કરતા બીજા કોઇ રાજય સેવકની બાબતમાં રાજય સરકારની મજુરી
(ગ) બીજી કોઇ બાબતમાં કેન્દ્ર સરકારની પુવૅ મંજૂરી (૫) ગુનો થયો હોવાનુ કહેવાતુ હોય તે તારીખથી છ મહિનાની અંદર ફરિયાદ કરવામાં ન આવે તો કોઇ સેશન્સ ન્ કોર્ટ પેટા કલમ (૨) ગુનાની વિચારણા કરી શકશે નહિ
(૬) જેના સામે ગુનો થયાનુ કહેવાતુ હોય તે વ્યકિતના તે ગુના માટે હકુમત ધરાવતા મેજિસ્ટ્રેટ સમક્ષ ફરિયાદ કરવાના હકને અથવા એવી ફરિયાદ ઉપરથી તે ગુનાની વિચારણા કરવા માટેની તે મેજિસ્ટ્રેટની સતાને આ કલમના કોઇ પણ મજકુરથી બાધ આવશે નહીં
Copyright©2023 - HelpLaw